Type Here to Get Search Results !

Palak mata pita yojana !! પાલક માતા-પિતાની યોજના


Palak mata pita yojana !!  પાલક માતા-પિતા  યોજના

      બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી . તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી , આથી વિકલ્પ ઉછેર તેમના બાળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે . સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગણી શકાય . આથી આવાં નિરાધાર અનાથ બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાની જગ્યાએ તેઓને વૈકલ્પિક કુટુંબમાં રાખી પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વિકાસ થઇ શકે તે દ્રષ્ટીએ પાલક માતા - પિતાની યોજનાનો સરકારશ્રીએ ૧૯૭૮ થી અમલ શરૂ કરેલ છે . 

👉 યોજનાનું નામઃ  
પાલક માતા - પિતાની યોજના 

👉 પાત્રતાનું ધોરણ :
આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા - પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે . જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુન : લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે . 

👉 સહાયનો દરઃ
અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા - પિતા કે નજીકના સગાને માસિક રૂા .૩,૦૦૦ / - ( અંકે રૂપિયા ત્રણ હજાર પુરા ) સહાય પેટે ચુકવવામાં આવશે . 

👉 આવક મર્યાદા : 
પાલક માતા - પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ .૨૭,૦૦૦ થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ .૩૬,૦૦૦ થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે 

 👉 યોજનાની શરતો
 • પાલક માતા - પિતાએ ઉછેર માટે લીધેલ લાભાર્થી ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં મુકવાના રહેશે અને ૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે . 

• જો બાળકનો અભ્યાસ બંધ કરાવવામાં આવશે તો સહાય આપવાનું બંધ કરવામાં આવશે .

 • આંગણવાડીમાં જતાં બાળકો માટે આઈસીડીએસના ( સંકલિત બાળ વિકાસ યોજના ) સંબંધિત પોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર તથા શાળાએ જતાં બાળકો માટે સંબધિત શાળાના આચાર્યનું પ્રમાણપત્ર દર વર્ષે ૧૫ મી જુલાઈ સુધીમાં રજૂ કરવાનું રહેશે .
 • બાળકના માતા - પિતાના મરણની પ્રમાણિત દાખલા રજુ કરવાના રહેશે . જો બાળકની માતાએ પુન : લગ્ન કરેલ હોય અને બાળક માતા સાથે રહેવા જાય તેવા સંજોગોમાં સહાય આપવાનું બંધ કરવામાં આવશે . 

• અરજીનો નમુનો ખાતાની વેબસાઇટ https://sje.gujarat.gov.in/dsd પરથી ડાઉનલોડ કરી અથવા નજીકના ચિલ્ડ્રન હોમ / જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી , જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતેથી વિના મૂલ્ય મળી રહેશે . 

• અરજી મંજુર થયે સહાય અરજી કર્યાના માસથી મળવાપાત્ર રહેશે . 

• આ યોજનાનું અમલીકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના ચિલ્ડ્રન હોમના અધિક્ષકે કરવાનું રહે છે . 

• જે જીલ્લામાં ચિલ્ડ્રન હોમ કાર્યરત નથી તેવા જીલ્લામાં યોજનાના ફોર્મ સ્વીકારવાની અને આગળની કાર્યવાહી જિલ્લા બાળ સુરક્ષા એકમની રહેશે . અને ચુકવણાની જવાબદારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે .

 • દરેક જિલ્લા સ્તરે સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ ( SFCAC ) દ્વારા ભલામણોની સમીક્ષા કરી પાત્રતા ધરાવતાં પાલક માતા - પિતાને સહાય ચુકવવા માટે આદેશ કરવાના રહેશે.

• જે બાળકો આવા જ પ્રકારની રાજયની કે કેન્દ્રની અન્ય કોઈ યોજનાઓનો લાભ મેળવતા . હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી .
• આ રકમ લાભાર્થીના ખાતામાં સીધી ચુકવણા ( DBT ) પધ્ધતિથી એકાઉન્ટ પેઇ ચેકથી ચુકવવાની રહેશે . 

• આવા પાલક માતા - પિતા કે મંજૂરી પ્રાપ્ત નજીકનાં સગાં એટલે કે લાભકર્તાએ બેન્ક / પોસ્ટ ઓફિસમાં બાળકના નામ સાથેનું પોતના સંયુક્ત નામનું ખાતું ખોલાવવાનું રહેશે .

 અધુરી વિગતો વાળુ અરજીપત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહી . 

👉 પાલક માતા - પિતા યોજના લાભ કોને મળે ?
 • આ યોજનાનો લાભ જે બાળકના માતા - પિતા મૃત્યુ પામ્યા હોય તેમજ પિતાનું અવસાન થયેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષની વય જૂથના અનાથ બાળકોનાં પાલક માતા - પિતાને મળવાપાત્ર છે .

• આ સહાયનો વપરાશ બાળકના શિક્ષણ , આરોગ્ય , પોષણ વગેરે હેતુ માટે કરવામાં આવે છે .

 • ધોરણ -૧૦ માં નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપ મેળે તૈયારી કરી ધોરણ -૧૦ ની બોર્ડ પરીક્ષા આપતા રીપીટર વિદ્યાર્થી દ્વારા જો બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરેલ હોય તેવા ૧૮ વર્ષ સુધીના રીપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે . 

👉 લાભ કયાથી મળે ?
• જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિલ્લા બાળ સુરક્ષા 

👉  કેટલો લાભ મળે ?
બાળકના માતા - પિતાને માસીક રૂા .૩૦૦૦ / -ની સહાય 

👉 કયા કયા પુરાવા જોઇએ ?
• ઉંમરનો પુરાવો . ( બાળકના જન્મ તારીખનો દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ) ની પ્રમાણિત નકલ .
 • બાળકના માતા - પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ
 
• જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તે કિસ્સામાં અરજદારશ્રી દ્વારા બાળકના પિતાના મૃત્યુ બાદ માતાએ પુનઃલગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું . તેમજ શક્ય હોય તો આ અંગે લગ્ન નોંધણી અંગેનું પ્રમાણપત્ર કે તલાટી - કમ - મંત્રી દ્વારા આપેલ દાખલો માતાના પુનઃલગ્ન અંગેના પુરાવા તરીકે મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારીશ્રીના ચાલુ વર્ષના આવકના દાખલાની પ્રમાણિત નકલ ( ગ્રામ્ય વિસ્તાર માટે રૂા .૨૭૦૦૦ / - થી વધુ શહેરી વિસ્તાર માટે રૂા .૩૬૦૦૦ / - થી વધુ આવક હોવી જરૂરી ) .

 • ૩ થી ૬ વર્ષની ઉંમરના અનાથ બાળકને આંગણવાડીમાં મૂકવાના રહેશે . આંગણવાડીમાં જતાં બાળકો માટે પ્રોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે . ૬ વર્ષથી ઉપરની ૬ વર્ષની ઉંમરના બાળકોને ફરજીયાત શાળાનું શિક્ષણ અપાવવાનું રહેશે અને દર વર્ષે નવીન શૈક્ષણિક સત્ર શરૂ થતાં બાળકનો અભ્યાસ ચાલુ હોવા અંગે શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર બાળક અને પાલક માતા - પિતાના સંયુક્ત બેંક ખાતું હોય તો પાસબુકની નકલ અરજી કરતાં સમયે સાથે જોડવી અને ન હોય તો અરજી મંજૂર કર્યા બાદ સંયુક્ત બેંક ખાતુ ખોલાવી રજૂ કરવું . 

• બાળક અને પાલક માતા - પિતાના આધારકાર્ડની નકલ .

 • અરજદાર પાલક માતા - પિતાના રેશનકાર્ડ અને ચૂંટણીકાર્ડની પ્રમાણિત નકલ . 

* સાક્ષીઓના ઓળખના પુરાવા પાલક માતા - પિતા સાથે બાળકનો સંબંધ દર્શાવતું પ્રમાણપત્ર ( ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચશ્રી કે તલાટીશ્રીની / શહેરી વિસ્તાર હોય તો વોર્ડ મેમ્બરનું ) 
• બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના ગત વર્ષના ધોરણની માર્કશીટની નકલ શક્ય હોય તો 

• બાળક અને પાલક માતા - પિતાનો સંયુક્ત ફોટો તથા બાળકનો એક ફોટો અરજી ઉપર ચોંટાડવો .


👉 અરજી ફોર્મ ડોઉનલોડ કરવા માટે : અહિ ક્લિક કરો


                      💻*_~PCSC~_*💻

Post a Comment

0 Comments